30 May 2018

DEMENTIA - ALZHEIMER'S INFORMATION GUJARATI SYMMARY


ઉમર વધતા થોડા ભુલકણુ થઈ જવુ એ સામાન્ય છે, પણ તીવ્ર અલ્પકાલીન યાદશક્તિમાં ઘટાડો એ Alzheimer's ના રોગનુ નિશાન છે. આવા વિકારોમાં મગજના કોષો ધીમેધીમે વણસી જાય છે અને મગજમાં પ્રોટીનની અનિયમિત જમાવટ થવા લાગે છે. પરિણામે મગજના કોષો સંકોચાય છે અને ત્યાં માનસિક બુદ્ધીશક્તિની પ્રગતિશીલ ઓછપ જણાય છે

રોગના દસ ચેતવણીના ચિન્હો.

Alzheimer'sના સંઘે નીચે જણાવેલ ચેતાવણીના ચિન્હોની યાદી વિકસિત કરી છે, જેમાં સાધારણ Alzheimer's ના રોગના લક્ષણોનો સમાવેશ છે. જે વ્યક્તિમાં આવા ઘણા લક્ષણો દેખાય તેણે એક ચિકીત્સક પાસે પરામર્શ માટે જવુ જોઇએ.
૧. સ્મરણશક્તી ગુમાવવી : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર વસ્તુઓ ભુલી જાય છે અને પછી તે વસ્તુને યાદ કરી શકતો નથી, ખાસ કરીને જે તાજેતરમાં બની ગઈ હોય.
૨. પરિચિત કામ કરવામાં મુશ્કેલી : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર તેની જીંદગીમાં જે પરિચિત કામ હંમેશા કરતો હોય તે કરવામાં મુશ્કેલી, જેવુ કે જમવાનુ બનાવવુ.
૩. ભાષા સાથે મુશ્કેલી : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર સાદા શબ્દો પણ ભુલી જાય છે અથવા તેના બદલીના શબ્દો, વાક્યો બનાવે છે જે સમજવા માટે અઘરા છે.
૪. સમય અને જગ્યાની આત્મવિસ્મૃતિ : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર પોતાનો રસ્તો ભુલી જાય છે. તેને ખબર નથી પડતી કે તે અહીયા કેવી રીતે પહોચ્યો અને ઘરે કેવી રીતે જવુ તે તેને ખબર નથી.
૫. નબળો અથવા ઓછો ન્યાય : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર નબળા ચુકાદાવાળો છે, દા.ત. જ્યારે તેને વૈદ્યકીય મદદની જરૂર પડે છે ત્યારે તે તેની વૈદ્યકીય સમસ્યા ઓળખી શકતો નથી.
૬. આદર્શ વિચાર સાથે સમસ્યાઓ : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર તેને ચોપડીમાં કેટલી સંખ્યા છે તે જાણવામાં નોંધપાત્ર મુશ્કેલી પડે છે.
૭. ખોવાયેલ વસ્તુઓ : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર વસ્તુઓને અનુપયુક્ત જગ્યામાં મુકે છે, જેવી કે ઘડીયાળને refrigerator માં મુકવી.
૮. મિજાજ અથવા વર્તણુકમાં ફેરફાર : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર કોઇ પણ કારણ વગર આનંદથી દુખના જુદાજુદા મિજાજમાં ચડઊતર જોવામાં આવે છે.
૯. વ્યક્તિત્વમાં ફેરફાર : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર ગુંચવાઈ જાય છે, વહેમી થઈ જાય છે અને અતડો થઈ જાય છે અને કદાચ બીજા વ્યક્તિ જેવી વર્તણુક કરે છે અથવા કર્મ કરે છે.
૧૦. પહેલવૃતિની ખોટ : આ રોગમાં વ્યક્તિ ઘણીવાર બહુ ઉદાસિન થઈ જાય અને કોઇપણ કામ કરવામાં પહેલવૃત્તિ બતાવતો નથી.

રોગના લક્ષણો :
પહેલુ લક્ષણ સામાન્ય અર્થમાં સ્મરણશક્તિની ઉણપ. સામાન્ય સ્મરણશક્તિમાં ઘટાડો વધારે ગંભીર થાય છે અને તાત્ત્વિક ક્ષમતાને અસર કરે છે. યાદશક્તિના નુક્શાનની સાથે બીજા લક્ષણો દેખાય છે, જે કદાચ તેમાં રહેલા હોય :
·        એકાગ્રતાની ખોટ .
·        લખેલ અને બોલેલ ભાષાઓ સમજવામાં મુશ્કેલી.
·        ઓળખી શકાય તેવા વાતાવરણમાં ભટકવુ અને ખોવાઈ જવુ.
બિમારીના સમયના પહેલા ચરણમાં લોકોને જાણ થાય છે કે તેઓ વધારેપણા ભુલકણા થઈ ગયા છે. આને લીધે માનસિક ઉદાસિનતા અને અસ્વસ્થતા આવે છે. થોડા સમય પછી અસ્તિત્વમાં રહેલ લક્ષણો વધારે બગડી જાય છે અને બીજા લક્ષણો કદાચ આકર લ્યે છે, જેમાં સમાવેશ છે :
·        ધીમી ગતીમાં કામ કરવુ અને અસમતોલ રીતે ચાલવુ.
·        ઝડપથી મિજાજમાં થતો ફેરફાર - સુખી પછી દુખી થવુ.
·        વ્યક્તિગત બદલાવ, ઉશ્કેરાવુ અને ભાવનાઓને ત્રાસ દેવો.
કોઇક વાર સુવામાં તકલીફ પડે છે અને રાત્રે અસ્વસ્થ થઈ જાય છે. થોડા વર્ષો પછી ઘણા લોકો આ રોગને લીધે પોતાનુ ધ્યાન નથી રાખી શક્તા અને તેમને દિવસભર સંભાળ રાખવાની જરૂર પડે છે.

રોગ માટે ઉપચાર
રોગનો કોઇ ઉપચાર નથી, પણ દવા જેવી કે  donepezil લેવાથી કદાચ માનસિક કાર્યની ખોટને ધીમુ પાડવામાં મદદ કરે છે. કેટલાક લક્ષણો કોઇક વાર રોગને સબંધિત છે, જેવા કે ઉદાસિનતા અને ઉંઘમાં તકલીફ પડવી તે નિરૂત્સાહને દુર કરનાર દવા લેવાથી રાહત મળે છે. એક અશાંત વ્યક્તિને શામક દવા આપવાથી તે/તેણી સ્વસ્થ થઈ જાય છે.

છેવટે આખો દિવસ કાળજી રાખવી જરૂરી છે,ઘરે અથવા ખાનગી ઇસ્પિતાલમાં. રોગવાળા વ્યક્તિની માવજત કરવી ઘણીવાર તનાવપુર્ણ હોય છે અને ઘણા દેખરેખ રાખવાવાળાઓને વ્યાવહારિક અને ભાવનાત્મક આધારની જરૂર પડે છે, ખાસ કરીને પ્રભાવિત વ્યક્તિ જો દલીલબાજ અને આક્રમક લાગે.

સહાયક જુથો વૃદ્ધ સગા જેને આ રોગ લાગ્યો છે, તેમને કાળજી રાખવા મદદ કરે છે. ઘણા લોકો રોગનુ નિદાન કર્યા પછી ૧૦ વર્ષ સુધી જીવે છે.
રોગવાળા દરદીની કાળજી લેવી.
દેખભાળ રાખનારની કાળજી લેવી તે એક Alzheimer's રોગવાળા વ્યક્તિ માટે આવશ્યક તત્વ છે. દેખભાળ રાખવી એ ત્રાસ આપનાર અનુભવ છે. બીજી બાજુ દેખભાળ રાખનારનુ શિક્ષણ Alzheimer's ના રોગવાળા દરદીને દેખભાળ રાખવાના સ્થાનમાં મોડેથી દાખલ કરે છે.

Alzheimer's
ના રોગવાળા દરદીની આંખો દિવસ કાળજી રાખવાની જરૂર છે, ઘરે અથવા દેખભાળ રાખવાના સ્થાનમાં. Alzheimer's ના રોગવાળા વ્યક્તિની માવજત કરવી ઘણીવાર તનાવપુર્ણ હોય છે અને ઘણા બધા દેખરેખ રાખવાવાળાઓને વ્યાવહારિક અને ભાવનાત્મક આધારની જરૂર પડે છે, ખાસ કરીને પ્રભાવિત વ્યક્તિ જો દલીલબાજ અને આક્રમક થવા લાગે અને સહાયક જુથો તેના વૃદ્ધ સગાને જેને આ રોગ લાગ્યો છે તેમને કાળજી રાખવા મદદ કરે છે.

જેવી રીતે Alzheimer's નો રોગ વધે છે, એક વ્યક્તિની આવડતમાં બદલાવ આવે છે. છેવટે આખા દિવસની દેખભાળ રાખવાની જરૂર પડે છે. એક વ્યક્તિને કદાચ રોજની પ્રવૃતિઓ જેવી કે નાહવુ, તૈયાર થવુ, ખાવુ અને નાહવાનો ઓરડો વાપરવા માટે મદદની જરૂર પડે છે. રોજ આધાર આપવો એ થકાવી દયે છે. એક Alzheimer's ના રોગવાળા વ્યક્તિની જરૂરીયાતો કેવી રીતે પુરી પાડવી એ બહુ મહત્વનુ છે કે જે એક વ્યક્તિ માટે સૌથી સારી વસ્તુ કઈ છે જ્યારે પોતાની કાળજી રાખીને તેનો પ્રભાવ તેના ઉપર કેવો પડશે.

તાણનો અનુભવ કરવો તે દરરોજની જીંદગીનો એક ભાગ છે. તે છતા જ્યારે તાણના લક્ષણો ચાલુ થાય છે તે હાનિકારક હોઇ શકે છે. Alzheimer's ના રોગની સાથેના વ્યક્તિની કાળજી રાખવી એ દેખરેખ રાખવાવાળા માટે ભોગ આપવા જેવુ છે. દેખરેખ રાખવવાળાઓ ઘણીવાર શારિરીક અને ભાવનાત્મક જોખમ ખેડે છે. કાળજી રાખનારને આ વસ્તુની જાણ છે અને તેઓએ પોતાની કાળજી રાખવા માટે પગલા ભરવા જોઇએ. પોતાનીશારિરીક સ્વાસ્થય સંભાળો, સક્રિય રહો અને નિરોગી ખોરાકની પસંદગી કરો. પ્રવૃતિઓ જેમાં તમને આનંદ મળે છે તેના માટે સમય કાઢો.



No comments:

Post a Comment